Press ESC to close

પ્રેમાયણ : શ્રી પ્રેમસૂરિદાદાની હૃદયસ્પર્શી જીવનકથા

જીવનકથાઓમાં સચ્ચાઈ હોય છે . જે બન્યું , જે રીતે બન્યું તેની રજૂઆત . એક ચોક્કસ વિશાળ દૃષ્ટિકોણ સાથે લખાયેલ જીવનકથામાં તમને કોરી વિગતો જ નથી મળતી . તમને ત્યાં મહત્ત્વપૂર્ણ વિચારસૂત્રો સાંપડે છે . શ્રી પ્રેમસૂરિદાદાની જીવનકથા વિશે આજસુધી જે પુસ્તકો લખાયા છે તેનાથી કંઈક અલગ , અનોખું આ જીવનકવન છે . ઈતિહાસને આંજી દેનારી વિધવિધ ઘટનાઓનો સિલસિલો શરૂ થાય તે પૂર્વે સાધના જગતની ઝીણીઝીણી અઢળક બાબતોનું અહીં વિશ્લેષણ થયું છે . અધ્યાત્મનિષ્ઠ મહાપુરુષની શાસનપ્રભાવના અને શાસનપ્રભાવક મહાપુરુષની અધ્યાત્મનિષ્ઠા સાથે સીધો પરિચય કરાવે છે આ જીવનકથા . કલાકાર શ્રી અંકુરભાઈ સૂચકનાં પોટ્રેઈટચિત્રોએ આ પુસ્તકને જીવંત બનાવ્યું છે . કિરીટ ગ્રાફિક્સની મુદ્રણ કલાએ દરેક પ્રકરણના પ્રારંભને એક અલગ જ સુંદરતા બક્ષી છે . આ પુસ્તક વાંચ્યાબાદ તમને લાગશે કે મારો અધ્યાત્મપ્રેમ થોડોક વધી ગયો છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *