
કોઈ મારી પ્રશંસા કરે ત્યારે મારે શું કરવાનું ? પાંચ કામ કરાય .
એક , જેણે મારાથી વધારે સારાં કામ કર્યાં છે એને યાદ કરીને હું મારી જાતને પામર ગણું .
બે , મારા હાથે જે જે ભૂલો થયેલી છે અને એ ભૂલોને કારણે જે જે નુકસાન થયેલાં છે , એને યાદ કરું અને મારા ઘમંડને અટકાવી દઉં .
ત્રણ , જે પ્રશંસા કરે છે એની ગુણદૃષ્ટિ સારી છે એમ વિચારીને એની ગુણદૃષ્ટિની અનુમોદના કરૂં .
ચાર , મેં જે કામો નથી કર્યાં અને મારે જે કામો કરવાના બાકી રહ્યા છે એને યાદ કરીને પોતાની જાતને ઠપકો આપું .
પાંચ , જે થયું છે તે પ્રભુની કૃપાથી અને પ્રભુ એ આપેલા પુણ્યના પ્રતાપે થયું છે એમ વિચારું અને કર્તૃત્વભાવથી મુક્ત થઈ જઉં .
કોઈ મારી પર પ્રશંસા કરે ત્યારે એ કરનારને અટકાવવાની કોશિશ કરું એ પણ એક સારું ઓપ્શન છે .
દર વખતે લાંબુ લાંબુ લખવાની જરૂર નથી હોતી . તમે વાચક છો . બિટ્વિન ધ લાઈન્સ વાંચતા પણ શીખો .
Leave a Reply