Press ESC to close

૧૦૫૦ પ્રભુભક્તોએ સાથે મળીને આપી ૬૮,૦૦૦ પ્રદક્ષિણાઓ : નવસારી

નવસારીમાં એક અદ્ભુત પ્રભુભક્તિ થઈ .
માગસર વદ ચોથ . ત્રણ જાન્યુઆરી , બે હજાર એકવીસ .

જે રીતે નવાણુંના આરાધકો સિદ્ધગિરિનાં મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુનાં જિનાલયને એક વાર , એકીસાથે ૧૦૮ પ્રદક્ષિણા આપે છે . તે રીતે , નવસારીના અનેક અનેક પ્રભુભક્તોએ સાથે મળીને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનાં જિનાલયને અખંડ ૧૦૮ પ્રદક્ષિણા આપી . ૧૦૮ પ્રદક્ષિણા આપવામાં આશરે સાત કિલોમીટર જેટલું ચાલવાનું થાય . સૌ ચાલ્યા . કુલ મળીને ૬૮૦૦૦ પ્રદક્ષિણાઓ એક જ દિવસમાં થઈ . પ્રભુમય બન્યા વિના આવો ભગીરથ પુરુષાર્થ થતો નથી . આશરે ૧૦૫૦ ભાવિકો પ્રદક્ષિણામાં જોડાયા . લક્ષ્ય ૧૦૮ પ્રદક્ષિણાઓનું હતું . જેણે જેટલી પ્રદક્ષિણાઓ આપી તેનો કુલ આંક લખવામાં આવ્યો તેમાં આશરે ૬૮૦૦૦નો આંકડો સ્પષ્ટ થયો .
જેણે પ્રદક્ષિણા આપી તે ધન્ય .
જેણે પ્રદક્ષિણાની પ્રેરણા આપી તે ધન્ય .
ખાસ કોઈ રેકોર્ડ બનાવવાની લાલસા હતી નહીં . સાથે મળીને વિશેષ ભક્તિ કરવાના ભાવ હતા . એમાં આ કમાલ થઈ ગઈ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *